દશામાં ની વાર્તા PDF | Dashama Vrat Katha Gujarati PDF Summary
Dear readers, here we are offering દશામાં ની વાર્તા PDF / Dasha Mata Vrat Katha Gujarati PDF to all of you. Dashama Vrat is one of the most popular fastings in Hinduism. There are many people who want to seek the blessing of Goddess Dashama, those can easily please Goddess by observing this fast.
There are various types of fasting and worship suggested in Hinduism. These fasts provide different types of results to the devotee. Whether you want health and wellness or you are willing to have a prosperous life then you should definitely observe this fast with full devotion.
Dashmata Vrat is observed by married women to improve the condition of their married life. On this day, married women take one meal at a time and salt is not used in the food. According to mythological beliefs, buying a broom on this day and bringing a new broom to the house is considered highly auspicious.
Dashama Vrat Katha & Vidhi / દશામાની વાર્તા PDF Gujarati
દાસી મહેલ માં આવી અને રાણીને વાત કરી. રાત્રે રાજા આવ્યા એટલે રાણીએ કહ્યુ > હું દશામાનું ર્વત કરૂ ? રાજા કહે>’એ વ્રત કરવાથી શો લાભ ? રાણી કહે>નિર્ધનને ધન મળે પુત્ર ને પરિવાર વધે’ રાજા કહે>મારે ધનની ખામી નથી : હાથી,ધૌડા,રાજપાટ જે જોઈયે તે છે’ રાજા અહંકારના વચનોથી રાણી રીસાયાં અને ખાધાપીધા વિના સૂઇ રહ્યાં. રાત્રે દશામાં આવ્યા અને રાજ્યમાં બધે ફરી વળ્યાં. સવાર માં નો પહોર થયો. રાજ્યમાં અંધાધૂંધી થવા માંડી ભંડાર માં પૈસા યે ના મળે ! કોઠારમાં જોવાં જાય તો અનાજ નોદાણો યે નહિ ! ગામ ની ર્પજા રાજાને કહેવા માંડી : હવે તમે પહેરેલે લુગડે બહાર નીકળો તમારા રાજ્યમાં માઠી દસા બેસશે. રાજારાણી ત્યાંથી ચાલી નીકળ્યાં અને ગામને પાદરે ફૂલવાડી માં બેઠાં ત્યાં ફૂલવાડી બળી ને ભસ્મ થઇ ગઇ. રાણી કહે છે :> આપણી દશા કઠણ છે.આપણે અહીં રહેવામાં સાર નથી. આમ કહી રાજા-રાણી ત્યંથી આગળ ચાલ્યાં.
રસ્તામાં કુંવરને ભૂખ લાગી, એટલામાં રાણીની બહેન પણી નું ઘર આવ્યું, રાણી કહે> બહેન બટકું રોટલો આપીશ! જા જા ભીખારણ ! મારા રાજ્યમાં બટકું લેવા આવી છે ? શરમ નથી આવતી ! બહેન પણીએ કહ્યં. તેઓ ત્યાંથી આગળ ચાલ્યાં, કુવરને તરસ લાગી. રાણી બન્ને રાજકુંવરોને લઇ વાવમાંપાણી પીવડાવવા જાય છે. ત્યાં તો બન્ને રાજકુમારોને દશામાએ વાવમાં ખેંચી લીધા. રાણી રોતી અને કલ્પાંત કરતી રાજા પાસે આવી અને કહ્યું> મારા બન્ને દીકરા વાવમાં પડી ગયા ! રાજા કહ્યું > કલ્પાંત શા માટે કરો છો ! જેના હતા તેણે લઈ લીધા. ત્યાંથી તેવો દુર આવ્યાં. એટલામાં રાજાની બહેન નું ગામ આવ્યું. રાજા કહે > આ તો મારી બહેન નું ગામ છે. તેને મળ્યા વિના કેમ જવાય ? ગામમાં પખાલી સાથે કહેવડાવ્યું કે, તમારા ભાઇ-ભોજાઇ મળવા આવ્યાં છે.
બહેન કહે છે કે મારાં ભાઇ-ભોજાઇ મળવા આમ આવે નહિ ! બહેન વિચાર કર્યો કે ભાઇ ની કઠણ દશા હોય તોઆવ્યા પણ હોય. નહી તો ધોડા, ગાડી, રથ, પાલખીવિના આવે ? બહેન સુખડી બનાવી અને સાવ સોનાનું સાંકળું લીધું અને માટલીમાં ઘાલીને મોકલાવ્યું. પરંતુ !જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડી કોલસા થઇ ગઇ અને સાંકળું સાપ થઇ ગયો ! રાજાએ વિચાર્યું કે, મા-જણી બહેન મને મારી નાખવા રાજી ન હોઇ પણ દશાના જ ખેલ છે. એટલે માટલી ને ભોંયમા ભંડારી અને આગળ ચાલ્યા. આગળ મોટી નદી આવી. તેમાં ચીભડાના વાડા હતા. રાણી એ ખેડૂતને કહ્યું > ભાઇ! અમને બહુ ભુખ લાગી છે, એક ચીભડું ખાવા આપે તો સારું. ખેડૂતે એક ચીભડું આપ્યું. સુર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહિ એવું નિમ હતું. તેથી ચીભડું રથમાં મૂકી તેઓ સૂઇ ગયાં. ત્યાંતો અજાણ્યા સૈનિકો આવ્યા.
પાસે ના બીજા ગામના રાજાનો કુંવર રીસાઈ ને મોસાળ નાસી ગયો હતો. તેથી એ રાજા એ સૈનિકો ને શોધ કરવા માટે અહીં મોકલ્યા હતા. રથમાં જે ચીભડું હતું તે અચાનક કુવરનું માથું થઇ ગયું ! સૈનિકો શોધ તા શોધતા રથ સુધી આવ્યા અને રથમાં કુવરનુ માથું ઝોયું, તેથી સૈનિકો એ તેઓ બંનેને માર મારી પોતાના રાજા પાસે ખેચી ગયા. પેલા રાજાએ તેમને જેલ માં નાખ્યા અને રાણીને જુદી ઓરડી આપી. એટલું દુઃખ પડતામાં તો બાર મહિના પુરા થયા. અષાઢ મહિનો આવ્યો. દિવાસાનો દિવસ આવ્યો. રાણીએ વિચાર્યું કે. રાજાએ દશામા નું અપમાન કર્યું છે, તેથી તો આવું નહિ થયું હોય ? લાવ હું દશામા નું ર્વત કરું. તેણે દશ દિવસ નકોડા ઉપવાસ કર્યો. દશ દિવસ પૂરા થયા, દશ મુડુ ઘઉં લીધા. માટીની સાઢણીં બનાવી. એવી રીતે તેણે ર્વત કર્યું. પોતાના પતિના પતિને જમાડ્યા.
જમાડીને ઓરડીમાં આવી. રાત્રે સાંઢણીં ને ધરમા રાખી સવારે ચાર { 4 } વાગે જળમાં પધરાવી. જળમાં પધરાવતાંને સાથે ગામના રાજાને સ્વપ્ન આવ્યું : વિના વાંકે તે રાજાને જેલમાં પુર્યો છે, તેને તું સવારે છોડી મુકજે.તારો કુંવર રીસાઈને મોસાળ ગયો છે, તે સવાર ના પહોરમાં પાછો આવશે. આ વાત સાચી નહી માને તો જેવી એની દશા થઇ છે, તેવી દશા તારી થશે. સવારના પહોરમાં રાજકંવર આવ્યો, રાજાએ પેલું કુંવરનું માથું જોયું તો લીલું ચીભડું હતું ! સ્પપ્ન સાચું પડ્યું તેથી તેણે પેવા રાજા ને જેલમાંથી છોડી મુકવાનો હુકમ કર્યો. સારા વસ્રો પહેરાવી તેણે રાજા-રાણીને રજા આપી અને કહ્યું> તમે મારા ગુન્હામાં નથી પણ તમારા ઉપર કોઇ દેવનો કોપ હોય તેમ લાગે છે ! રાણી રાજા ને કહે છે કે, ચાલો આપણે ચાલી નીકળીએ.હવે આપણી દશા વળતી લાગે છે.
ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા. રાજા રાણી ત્યાંથી આગળ જાય છે.રાજા વિચારે છે કે, મા-જણી બહેન મારવા રાજી ન હોય.માટલી કાઢી જોતાં જઇએ. જરા ખોદીને જુએ છે તો માટલીમાં સરસ ખાવા જેવિ સુખડી અને સોનાનું સાકળુ દીઠું ! માટલી રથ માં મુકી રાજા – રાણી, રથ ઝટ ચલાવ ! કહી આગળ ચાલ્યાં. દશામાએ વિચાર્યું કે, રાજાના બન્ને દીકરા લીધા તો ખરા પણ પાછા આપવા કેવિ રીતે ? તેમણે ઘરડાં ડોશીનૂં રુપ લીધું. છોકરાઓને આંગળીએ વળગાડીને આવ્યા અને રાજા ને બુમ પાડી > ભાઇ ! રથને ઊભો રાખોને ! રાજકુંવરો જેવા છોકરા ભુલા પડી ગયા છે. રાજાએ રથ ઊભો રાખ્યો. તેમણે તેમના છોકરાઓને ઓળખ્યા અને બંને રાજકુંવરોને વહાલ થી ઉપાડી લીધા. ડોશીમાએ કહ્યું > આજથી તમારી વળતી દશા થશે. તમે અહંકારનાં વચનો કાઢ્યાં હતાં. તેથી તમારી દશા કઠણ બની હતી.હવે તમે યારા વ્રત નો મહિમા વધાર જો. એટલું કહી દશા માં અદ્શ્ય થઇ ગયા.
રાજા રાણી અને કુંવરો ત્યાર ચાલી નીકળ્યાં. જે બહેન પણીએ પહેલાંજાકારો દીધો હતો, તે અત્યારે ઓરડા બહાર ઊભી હતી, તે રાણીને ઓળખી અને ભેટી પડી તે કહેવા લાગી> અરે બહેન ! બહુ દિવસે આવ્યાં ! આજે તો તમને નહિદઉ. રાણી કહે > મારી દશા કઠણ હતી. ત્યારે તમે કટકો રોટલો ય આપ્યો ન હતો,તેથી અમે અહી રહીશું નહી. એટલું કહી રાજા~રાણી ત્યાર થી ચાલી નીકળ્યા. અને પોતાના ગામે આવ્યાં ગામ માં સમાચાર પહોંચ્યા કે રાજા~રાણી દુઃખ વેઠીને પાછા આવે છે.આ વાત સાંભળતા વાજતે ગાજતે ગામ લોકો સમૈયું કરવા સામા આવ્યા. રાજારાણી સુખેથી પોતાના મહેલ માંઆવ્યાં. સુર્ય ના તેજની પેઠે તેમની કીર્તિ વધી પ્રરજાં આંદનો પાર ન રહ્યો. રાણીએ પાંચ વર્ષ પુરા થયાં એક રુપાની સાંઢણી કરી વ્રત ઉજવ્યું.
દશામાં ની પૂજા વિધિ / Dashama ni Puja Vidhi PDF
- દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે . પ્રાત :કાળે સ્નાન કરી , ધૂપ-દીવો કરી , શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી.
- દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા. માટીની સાંઢવી બનાવી તેનું પૂજન કરવું. દસમે દિવસે એ સાંઢણીને નદીમાં પધરાવવી.
- પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવું. યથાશ્કતિ સોનું , ચાંદી કે પંચ ધાતુની સાંઢણી બનાવરાવી બ્રાહ્મણને દાનમાં આપવી. વસ્ત્રદાન કરવું.
You can download Dashama Vrat Katha Gujarati PDF by clicking on the following download button.